આરટીઓ કચેરીમાં વારંવાર જતી વીજળીના કારણે લોકો પરેશાન

DivyaBhaskar 2019-09-20

Views 54

સુરતઃમોટર વ્હિકલના નવા નિયમોને લઈને લોકો લાયસન્સ કઢાવવા મોટી સંખ્યામાં પાલ સ્થિત આરટીઓ કચેરીએ પહોંચે છે આરટીઓ કચેરી ખાતે વારંવાર જતી વીજળીના કારણે કામકાજ ઠપ્પ થઈ જતાં કલાકો સુધી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડે છે આરટીઓ કચેરીએ લાઈસન્સ,એચએસઆરપી નંબર પ્લેટ સહિતના કામો માટે લોકો દૂર દૂરથી પાલ સ્થિત આરટીઓ કચેરીએ લાઈનોમાં ઉભા રહે છે પરંતુ જેવો વારો આવે કે થોડીવાર હોય ત્યાં લાઈટ જતી રહેતાં કામકાજ ઠપ્પ થઈ જાય અને વળી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે રાકેશ પાલે જણાવ્યું હતું કે, વારંવાર લાઈટના કારણે ખોરવાતા કામને લઈને તેને થોડા કામ માટે કલાકો સુધી તપ ધરવાની ફરજ પડી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS