ગણેશ વિસર્જનમાં ડૂબેલા કેશરપુરાના 6 યુવકોની એક સાથે અર્થી ઉઠી, અંતિમયાત્રામાં લોકો હીબકે ચઢ્યાં

DivyaBhaskar 2019-09-08

Views 397

અરવલ્લીઃ ગણેશ વિસર્જન દરમિયાન ધનસુરા તાલુકાના ખડોલ નજીકથી પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરા ગામના 6 યુવાનોના નદીમાં ડૂબી જતા મોત થયા છે કેશરપુરા ગામના 7 યુવકો વાત્રક નદીના વહેણમાં તણાતા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો અને 6 યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મોડી રાત સુધી 5 યુવકોની લાશ મળી આવી હતી, જ્યારે શનિવારે સવારે એનડીઆરએફની ટીમે વધુ એક યુવકનો મૃતદેહ બહાર કાઢતા તમામ મૃતદેહને ધનસુરા સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે 6 યુવકોના મૃતદેહને અંતિમક્રિયા માટે ગામમાં લવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી તેમજ અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના આપી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS