શિવસેનાના ચિન્હ પર શિંદેના દાવા બાદ ECએ ઠાકરેને આવતીકાલ સુધીનો આપ્યો સમય

Sandesh 2022-10-07

Views 425

મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકાર અંગે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે દાવાઓ કરી રહ્યા છે. અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી પહેલા એકનાથ શિંદે જૂથે શિવસેનાના ચૂંટણી ચિન્હ 'ધનુષ અને તીર' પર દાવો કર્યો છે. આ માટે શુક્રવારે શિંદે જૂથ ચૂંટણી પંચને મળ્યું હતું. શિંદેએ અરજીમાં ધનુષ અને તીરની ફાળવણીની માંગણી કરી છે. દરમિયાન ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા માટે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવતીકાલે બપોર સુધી તમારા તરફથી કોઈ જવાબ નહીં મળે તો આયોગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS